લગ્ન ?


વર્ષો પછી માળિયા માં સ્થાન
પામી ચુકેલા પટારાને ખોલ્યો
ને થયું…. એક ઘટના

ને આખી જિંદગી બદલાઈ ગઈ.!
એ માત્ર એક “ઘટના”.. હશે કે ?
પીળો પડી ગયેલો સુટ અને
કાણું થઇ ચુકેલા પાનેતરની
યાદગીરી?
ઝાંખા થઇ ચોંટી ગયેલા
આલ્બમના ફોટાઓમાં દેખાતા
આગળ “હવે શું” ની
અસમંજસ બે ચહેરાઓ?
એ વેળાએ ક્યાં ખબર હતી
કે પ્રેમ નામે ઝાંઝવા ખોળવા
નીકળ્યા એક મેકને સથવારે
અને પામ્યા માત્ર ને માત્ર…
દુનિયાદારી..!
જેમાં સમાઈ ગયું આખું જીવન !
સવારે ચ્હા થી શરુ અને
રાત્રે દૂધ થી ખત્મ… !
નથી કહેવા એ કાર્યો જે થાય છે
આ સમય દરમ્યાન….
શું કહું ? બધું માત્ર
રૂટીન જ હોય છે ત્યાં..??!!
આજે વર્ષો પછી કાળના
લપેડા ચોપડી કર્કશ અને
રુક્ષ બનેલા ચહેરા….
બિચારા સમજે છે …. હા એજ પ્રેમ છે…
જે અમે પામ્યા..
નામે ……..”દુનિયાદારી” !

~એજ તન્મય..!

કહેવાતું……. “મની લોન્ડરિંગ”….!

ઉઠો વાલમજી…. નવ ના ટકોરા પડી ચુક્યા હવે તો….. ક્યારના !! ( બોલો આવો સુરીલો ટહુકો પડે તો સવાર કેવી રસમધુર થઈ જાય નહિ.?! પણ હું કોણ….! મુસીબતો સિવાય તો જિંદગી કેવી રસહીન બની જાય નહિ ..! )

અરે ! પણ તને કીધું નહોતું વેહલાં ઉઠાડજે ?

રેકોર્ડીંગ ખાલી ફોનમાં જ કરતા ને ?! હવે થી લાઈવ પણ કરજો… કે’દિ કીધું તું બોલો તો ? (સીધું બોલવાની અમને કોઈને આદત નથી હોં ! તમારે ય વાંચવું હશે તો ટેવ પાડવી પડશે ! પછી ઉપ્પર થી જાય અને હથોડો લાગે તો સોરી )

શ્રીમતીજી નો કોન્ફીડન્સ જોઈ પાછી પાણી કરતા કીધું : તે ના કીધું હોય તોય શું ? ચાલુ દિવસે ઓફીસ જવાનું ન હોય ?

ત્રણ વાર ઉઠ્ડ્યા તા… મોન્ટુ બાય કરી સ્કુલે ગયો ત્યારે અને હમણાં આઠ વાગે ફરીથી…. ને ઊંઘ અને ઓફીસ ભેગા નાં કરવા હોય તો ગરબા ઓછા રમો ડીઅર !

વાત તો સાચી હતી.. રાત્રે ૪ વગ્યા સુધી જાગવામાં (હાસ્તો આ ગુજરાત છે ભાઈ, અહી જે વિસ્તારમાં વહેલા ગરબા બંધ થાય ત્યાં શાશક પક્ષે ચિંતામાં મુકાવવું પડે !! ) ગઈ રાત્રે વહેલા તૈયાર થવાનો બોસનો હુકમ આવી ભુલાઈ ચુક્યો હતો ! હવે ????

નોરતા માં ચૂંટણીની આચાર સંહિતા નડી ગઈ છે ભાઈ ! અગ્યાર લાખ જેટલી “નાની” રકમ ના પેમેન્ટ માટે (હાસ્તો ગુજરાત માં થતા વ્યહવારો સામે તો નાની જ ગણાય ! ) અમારે પાંચ લોકો ને જવાનું હતું. ૨.૫૦ લાખ થઈ વધુ નું કેશ ટ્રાન્જકશન ! (ચૂંટણી વાળા બિહાર, up અને ગુજરાત માં કોઈ ફર્ક સમજતા જ નથી તો શું થાય !? )

સારું સારું… જલ્દી ચ્હા મૂકી દે….. હું ન્હાઈ લઉં ત્યાં સુધી……

ઉઠ્યા પછી બીજી વીસેક મિનીટ સુઈ જવાની આદત છે ! સાયન્સ કહે છે કે એ વીસ મીનીટમાં આંખો અને દિમાગ બરોબર ચાર્જ થઈ જાય છે ! પણ અહી બીજી વીસ મિનીટ પાલવે એમ નહોતી… અને સાથે દિમાગ ચાર્જડ નહોતું એની સાબિતી મળવી શરુ ગઈ !

એ…. અહ્હ્મમ્મ્મ ! અલ્યા સીધો રહેને..!! (નારાજગીના ઉદગારો સારી પડ્યા બાથરૂમ માંથી……… ન્હાતા ન્હાતા ! )

કોને કહો છો ??!! ( પત્નીજી ચિંતાતુર નાદે ઉવાચ્યા….. બહારથી ! )

આ દહેજનો સાબુ… જો ને.. વારે વારે લસરી જાય છે ! (કીધુ ને ઊંધું અને માત્ર ઊંધું જ બોલવું..! )

દહેજના તો પતી ગયા… આ તો ગામડેથી નાતનું કવર હજી કાલે જ આવ્યું છે !! ( જોયું પત્નીજી પણ …!! )

જેમ તેમ કરી સાબુને કાબુ માં રાખી…. સ્નાનઆદિ નિત્યક્રમ પતાવી, ભગવાન ને પણ ફાસ્ટ ફાસ્ટ….. હાય હેલ્લો બાય ચલ્લો કહી નાસ્તા માટે ટેબલ પર આવ્યો… ત્યાં તો “બે માથોડા બોસ” નો કોલ આવી ગયો… કેટલી વાર નો !!

વગર નાસ્તે બહાર નીકળવું પડ્યું ! ( અહી મારી હિંમત ને દાદ દેવી પડે..! લગ્ન ને દિવસે પણ નાસ્તો કર્યા વિના નહોતો ગ્યો ! સાયન્સ યુ સી…!! )

અમે પાંચ બાઈકર્સ અને સામે પણ લગભગ એટલી જ સંખ્યામાં “માલ” દેવા આવેલા લોકો જોઈ… કોઈક નાઈન્ટીઝ ની ટીપીકલ વિલન હીરો વાળી ફિલ્મો યાદ આવી ગઈ..! એક એક થઈ ચડીયાતી “નોટો” (ગુજરાતમાં બધાને સામેની વ્યક્તિ “નોટ” જ લાગે ભાઈ….!!) એક મેકના હસ્ત ધૂનન….. પાંચ અલગ અલગ ખૂણે થતો વ્યહવાર …..

હીરોગીરી કરવામાં પાછીપાની કોણ કરે પાછુ !! (બંને પક્ષ સામે વાળાને વિલન ગણતા ) કોલર ઉછાળી, બાઈકની ફૂટરેસ પર પગ મૂકી, ઘૂંટણ પર હાથની કોણી ટેકવી…. એક હાથમાં ગોલ્ડ ફ્લેક ને બીજામાં સાદી RMD … (વીર માવાવાળો ગુટ્કેશ હવે અદ્રશ્ય થવા લાગ્યો છે ! પડીકી બંધ અને મસાલો મોંઘવારી ને લીધે સિગરેટ કરતા મોંઘો !) બે લાખ જેટલી “મામુલી” રકમ એ રીતે ચૂકવતો જાણે…. બે કરોડ દેતો હોય… ને એય પાછા ગાંઠના !

ને એક પછી એક SMS આવતા ગયા “ડન” ના ! પાંચેય વ્યહવાર પતાવી નીકળ્યા અને સૌથી વધુ ટેન્શન બોસ ને હતું !

બોસ ડોન્ટ વરી પતી જશે બધું…

તનીયા… ૨.૫૦ લાખ તો હવે ફોતરું ગણાય.. આ સાલાઓ બધાને એક જ લાકડીએ હાંકે છે ! હાળું હવારથી ટેન્શન માં છીએ બધા. એક તો ગામના રૂપિયા ને બેંકમાં જમા ન થાય તો ત્યાય લોચા..!

ડોન્ટ વરી બોસ ……પણ આમ તો સારું કે’વાય ને..! રીક્સ ડાઈવર્ટ થઇ ગ્યું ને !!

અલ્યા, વધી ગ્યું એમ બોલ… ૧૧ એક જ જગ્યાએ હોય તો ધ્યાન એક જ દિશામાં રાખવું પડે… આ તો સાલું પાંચેપાંચ હેમખેમ ના પહોંચે ત્યાં લગી જીવ અદ્ધર !

ઓહ્હ ! સાતમાં આઠમાં માં આવતી “સંભાવના” મને કેમ નહોતી સમજાતી એ હવે ખ્યાલ આવ્યો… રિસ્ક ઘટ્યું નહોતું ઉલ્ટાનું પાંચ ગણું વધી ગયું હતું…!

હે માં…. માતાજી…. અમારો સંઘ “કાશીએ” હેમ ખેમ પહોંચાડજો માડી…..!

કામ પત્યું એટલે બાકીની દુનિયા પર ધ્યાન ગયું…! નાસ્તો બાકી હતો…..૧૨ વાગી ચુક્યા હતા.. માથામાં દુખાવો (ભૂખને કારણે ) શરુ થઇ ચુક્યો હતો…… દિવસ આખો ખરાબ થવાના અણસાર આવી ચુક્યા હતા !

લોકલ નેતાને ઉઠાવી ફોન જ કરી દીધો… “બોસ, આ નાટક બંધ કરાવો નહિ તો મારા ૫૦ વોટની સામે ૧૦૦નો લાફો પડ્યો સમજજો..! ”

કાં ભાઈ, આટલો મોટો “પર્સનલ વ્યહવાર ?! બહુ તેજી લાગે છે ને કઈ !

અરે, નાં યાર કસ્ટમર નું પેમેન્ટ હતું બેન્કના સેટલમેન્ટનું..!

તે એમાં આટલા બધું ગભરાવા ની શું જરૂર?

કેમ, આ તમારી ૨.૫૦ વાળી આચાર સંહિતા નાં નડે?

અરે ભાઈ સમજો, એ લોન્ડરિંગ વિષયક છે ! તમે બકાયદા રીસીપ્ટ આપીને પેમેન્ટ લીધું ને ….. એટલે એ સંહિતા અહી લાગુ ન પડે !!!

બોલો ખોદ્યો ડુંગર ને નીકયો ઉંદર..!

શ્રીજી અને માતા જી…..

જય અંબે મિત્રો…!
=======================================
આજે વાત કરું છું… શ્રીનાથ જી ભગવાન વિષે….. ચોંકી ગયા ને… હેડીંગ માં અંબે માં ને કથા શ્રીજી પ્રભુની..??!!  હા મિત્રો આજે વાત કરું છું.. માં બહુચરના અનન્ય ભક્ત શ્રી વલ્લભ ભટ્ટ અને શ્રીજી પ્રભુ વિષે…!!

આજે તમે જે અંબે માં ની આરતી ગાઓ છો એની રચના કરી છે કવિ વલ્લભ ભટ્ટે (મેવાડા બ્રમ્હાણને પાક્કો અમદાવાદી હો…! (તમને ક્યાં થી ખબર હોય કડી સાચી આરતી ગાઈ, સાંભળી તો હશે જ નહિ ને….)

અમદાવાદના નવાપુરા પરામાં ૧૬૯૬ના આસો સુદ ૮ના દિને જન્મેલા કવિ એ પાંચ વર્ષ, પાંચ માસ અને પચ્ચીસ દિવસ પછી તેર વર્ષની ઉંમરે તેઓ મંત્ર-જાપમાં તિલ્લન હતા ત્યારે ઝળહળતા પ્રકાશની ઝાંખી થઇ. બંનેએ માતાજીના અલૌકિ અને દિવ્ય સ્વરૂપનું દર્શન કર્યું. ગદગદ્ કંઠે માની સ્તુતિ કરી. ભટ્ટજી ગુજરાતના માઇભક્તોમાં શ્રેષ્ઠ છે. બહુચરાજીમાં તેમનું સ્થાન આજે મોજૂદ છે.જ્યાં બેઠાં બેઠાં ભટ્ટજી બાળાયંત્રનાં દર્શન કરી શકતા હતા.

આજ માં ના પરમ ભક્તને પણ માં નો પરચો તો થયો જ છે…! બન્યું એવું કે માં ના શ્રુંગાર રચતા એ એવા તો તલ્લીન થઇ ગયા કે અનાયાસે માની નાભીની પ્રશંસા કરી બેઠા…!

માં એ કીધું કે ભટ્ટજી શબ્દો પાછા લઈલો.. પણ ભટજી ના માન્યા ને પછી થી માં એ એમનું શરીર રોગીષ્ઠ કરી દીધું…… કોઈ કામ કરવાને લાયક ના રહ્યા ને આખા શરીર માંથી દુર્ગંધ વ્યાપી ગાઈ…..!

એજ કવિ એવી રોગીષ્ઠ હાલતમાં……પિતા પાસે અરજી લઈને પુગ્યા…….  શ્રીનાથજી……., ત્યારે ભૂલથી….. કે પછી રોગ ને કારણે……. મંદિરના પરિસરમાં થૂંકાઇ ગયું !

આથી લોકોએ ફિટકાર કર્યો. એ વખતે એ બોલ્યા કે, ‘ હું કાંઇ જાણીજોઇને થૂંક્યો નથી, ને તેમ હોય તો પણ માબાપના ખોળામાં છોકરા થૂંકે તેથી માતાપિતા ગુસ્સે ભરાતાં નથી.’

ત્યારે મંદિરવાળા બોલ્યાં કે, ‘મા સહન કરે, પણ બાપ સહન ન કરે; ને આ તો બાપનું ધામ છે.’

ત્યારે વલ્લભ ભટ્ટે માં બહુચર ને યાદ કરી કીધું “હે માં….. જો મેં તારી ભક્તિમાં કોઈ કચાશ ન રાખી હોય અને… મારી શૃંગાર સિવાય કોઈ જ ભૂલ ન હોય……. તો આ નથણી હું શ્રીજીને પહેરવા માંગું છું… ને ત્યારે એમને શ્રીજી પ્રભુ પર નથણીનો છૂટો ઘા કર્યો……….. અને શ્રીજી પ્રભુ ને નથણી પહેરાઈ ગાઈ…….પ્રભુજી નો એક હાથ પણ એને કારણે ગરબો લેતા થાય એવો ઉંચો થઇ ગયો……!

આજે તમે જે શ્રીજી પ્રભુ ના દર્શન કરો છો તે પ્રતિમા આજ વલ્લભ ભટ્ટ ની દેન છે…!
=======================================
શ્રી અંબાજી માતાની આરતી : વલ્લભ ભટ્ટ દ્વારા રચિત. શક્ય એટલી સાચી લખવાનો પ્રયત્ન કર્યો છે છતાય ક્યાય ભૂલ કે શબ્દદોષ હોય તો જણાવવા વિનંતી………..
=======================================

જય આધ્યા શક્તિ, મા જય આધ્યા શક્તિ, (૨)
અખંડ બ્રહ્નાંડ નીપજાવ્યાં (૨) પડવે પ્રગટ્યાં મા, જયો…

દ્વિતીયા બેઉ સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ.. (૨)
બ્રહ્ના ગણપતિ ગાયે (૨) હર ગાયે હર મા. જયો…

તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં, ત્રિભુવન… (૨)
ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા. જયો…

ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં, મા… (૨)
ચાર ભુજા ચૌ-દિશા (૨) પ્રગટયાં દક્ષિણમાં. જયો…

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી… (૨)
પંચ સહસ્ત્રા ત્યાં સોહિએ (૨) પંચે તત્વો મા. જયો…

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિષાસુર… (૨)
નર નારીના રૂપે (૨) વ્યાપ્યાં સઘળે મા. જયો…

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા, સાવિત્રી મા, મા સંધ્યા… (૨)
ગૌ, ગંગા, ગાયત્રી (૨) ગૌરી ગીતા મા. જયો…

અષ્ટમી અષ્ટભુજા, આઇ આનંદા, મા આઇ… (૨)
સુરનર મુનિવર જન્મ્યાં (૨) દેવો દૈત્યો મા. જયો…

નવમી નવકુળ નાગ, સેવે નવદુગૉ, મા સેવે… (૨)
નવરાત્રિના પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હર બ્રહ્ના, જયો…

દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય… (૨)
રામે રામ રમાડ્યા (૨) રાવણ રોળ્યો મા. જયો…

એકાદશી અગિયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (૨)
કામદુગૉ કાલિકા (૨) શ્યામા ને રામા. જયો…

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી… (૨)
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ
મા,જયો…

તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા, મા તું… (૨)
બ્રહ્ના વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા જયો…

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી… (૨)
ભાવિભક્ત કાંઇ આપો, ચતુરાઇ કાંઇ આપો, સિંહવાહની માતા. જયો…

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો… (૨)
વિશષ્ઠદેવે વખાણ્યાં, માક•ડદેવે વખાણ્યાં, ગાઇ શુભ કવિતા…જયો…

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં, મા સોળસે… (૨)
સંવત સોળે પ્રગટયાં (૨) રેવાને તીરે મા ગંગાને તીરે જયો…

ત્રંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી (૨) મા…
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી.જયો…

શિવશક્તિની આરતી ભાવે જે કોઇ ગાશે, મા જે કોઇ ગાશે (૨)
ભણે શિવાનંદ સ્વામી (૨) સુખ સંપત્તિ થાશે, હર કૈલાશે જાશે,
મા અંબા દુ:ખ હરશે. જયો જયો મા જગદંબે.

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા… (૨)
વલ્લભ ભટ્ટને રાખ્યાં (૨) ચરણે સેવા લેવા.. જયો જયો મા…

માની ચૂંદડી લાલ ગુલાલ શોભા અતિ ભારી, મા શોભા… (૨)
આંગણ કૂકકડ નાચે (૨) જય બહુચર બાળી… જયો જયો મા…

~વલ્લભ ભટ્ટ
=======================================
માં બહુચરનો આનંદનો ગરબો :
=======================================
આજ મને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા. ૧

અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા,
છો ઇચ્છા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા. ૨

સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ તારો મા,
બાળ કરી સંભાળ, કર ઝાલો મારો મા. ૩

તોતળા મુખ તન્ન, તો તો તોય કહે મા,
અર્ભક માગે અન્ન, નિજ માતા મન લહે મા ૪

નહીં સવ્ય અપસવ્ય, કંઇ કોઇ જાણું મા,
કવિ કહાવ્યા કાવ્ય, મન મિથ્યા આણું મા ૫

કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા,
મૂરખમાં અણમોલ, રસ રટવા વિચર્યો મા ૬

મૂઢ પ્રમાણે મતિ, મન મિથ્યા માપી મા,
કોણ લહે ઉત્પત્તિ, વિશ્વ રહ્યા વ્યાપી મા ૭

પ્રાક્રમ પૌઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા,
પૂર્ણ પ્રગટ અખંડ, અજ્ઞા થકો ઇચ્છું મા ૮

અર્ણવ ઓછે પાત્ર, અકળ કરી આણું મા,
પામું નહીં પળમાત્ર, મન જાણું નાણું મા ૯

રસના યુગ્મ હજાર, તે રટતાં હાર્યો મા,
ઇશે અંશ લગાર લઇ મન્મથ માર્યો મા ૧૦……….

~વલ્લભ ભટ્ટ
=======================================
રચના અને વિચાર સ્ત્રોત : દિવ્ય ભાસ્કર

ઉત્પાદક….


ગઈ કાલનો આ શબ્દ મનમાં ઘર કરી ને બેઠો છે..”ઉત્પાદક” એકાદ બે લીટી લખી ય ખરી. પણ શું થાય.. ખુદ ને જ ના ગમી.. હાઈકુ જેવા ૧૭ અક્ષરોના બંધન… અહી પણ..?! નો વે.. આપણે તો સાધુ.. અને સાધુ તો ચલતા ભલા..! એક તો માંડ માંડ ગેડ બેસે.. ને એમાય પાછો પ્રાસાનુપ્રાસ, મત્લા, રદીફ, કાફિયા, છંદ,… ઓફ્ફ્ફફ્ફ કેટ કેટલા પરિમાણો યાદ રાખવા..! એટલે જ આજે “સમય” કાઢીને લખવા બેઠો..

ઉત્પાદક….એટલે શું..? સૌથી પહેલા સાહિત્યિક શબ્દ આંખ સામે તરવરી ઉઠ્યો… ઉત્પાદક એટલે કદાચ… સર્જક..! પછી થઇ શરુ.. ગડમથલ દિલોદિમાગ વચ્ચે..

દિલ કહે તારણ સાચું છે..! દિમાગ કહે શું ધૂળ સાચું.. સર્જક એટલે જે સર્જન કરે એ.. અને ઉત્પાદક એટલે જે ઉત્પાદન કરે એ.. ફરી પાછુ દિલ બોલ્યું.. ફર્ક શું.. & ગેસ વ્હોટ..! દિમાગ તો ઊછળ્યું.. જાણે કે ગમતીલો પ્રશ્ન આવી ગયો.. 12th કોમર્સ પાસ બાળકો (હા ને.. બાળકો જ કહેવાય હવે.. કોલેજ નાં જાય ત્યાં લગી..!) જાણે CPT (CA ની એન્ટ્રન્સ ટેસ્ટ) આપવા તૈયાર થઇ જાય એમ રેડી થઇ બોલ્યું..

“સર્જક એટલે ઇનોવેશન કરે એ.. જેમ કે સ્ટીવ જોબ્સ! અને બીલ ગેટ્સ! (સર્જન અને મોનોપોલી માં આ બંને ભાઈયો નો જોટો ક્યાંથી લાવવાનો..! બીલજી એ તો ઓફીશાય્લી US માં થયેલ મોનોપોલી વિષયક કાનૂની કેસ માં આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ પણ કર્યું છે..!અને જોબ્સ સાહેબની એપલ સેમસંગ સામે મોનોપોલી વિષયક કેસ જીતી ગઈ છે ( !! ) us માં સેમસંગ પર ઘણી મોટી રકમ નો ચાર્જ લાગ્યો છે ! ) જાતે બનાવે…! અને ઉત્પાદક એટલે સર્જકના સર્જનનું પોતાને ગમે એ રીતે…. માર્કેટેબલ બનાવી ઉત્પાદન કરે એ..! (અહી તમે ઉદાહરણ તરીકે સમસ્ત ભારત દેશ.. ને ગણી શકો…:પી.)

હાશ..! થોડી ઘણી ટપ્પી પડી ખરી..! એમ તો મારું દિલ પાછુ ટ્યુબ લાઈટ .!! શરુ થવા માટે જ સ્ટાટર્ર જોઈએ.. પછી એની મેળે હાલી નીકળે..! દિમાગના ઘોડા તબેલે પુગ્યાને…. દિલની F1 કાર્સ નીકળી અનુભવના રેસિંગ ટ્રેક પર.. એને ય પોતાની રીતે ક્યાસ કાઢ્યો…

એક સારી પ્રોડક્ટ નામે ICL (ઇન્ડિયન ક્રિકેટ લીગ..!) વિચાર સારો..! સર્જક હતી કપિલદેવ & કું. અને ઉદેશ્ય હતો… રીટાયર થતા કે પછી ઓછા ટેલેન્ટેડ ક્રિકેટરો ને આર્થીક રીતે પગભર કરવા..! જેના માથે BCCI એ ખપ્પરનો ઘા કરી બાળમરણ કરાવી દીધું..! અને ઉપસી આવી ઉત્પાદકની પ્રોડક્ટ IPL (જેના વિષે ચર્ચા કરું એટલો ય મુર્ખ નથી..! જે કઈ થાય છે એ બધુ જ છપાય છે… પાર્થિવ પટેલને મળેલ ૩ કરોડ ના કોન્ટ્રક હોય કે પછી શાહરૂખ – MCA કોનટ્રોવર્સી.) એટલે સુધી સૌને છેલ્લી પાટલીએ ધકેલી દીધા ICL વાળાઓને કે.. IPL થકી થયેલી કમાણી માં ભૂતપૂર્વ ક્રિકેટર્સ ને મળનારા “દાન” માંથી પણ બાકાત કરી નાખ્યા..!!

દિલ તો બિચારું સમજી ગયું…… સર્જક “સ્ટીવ” નહિ બને તો ઉત્પાદકો એને “સ્ટોન” બનાવી દેશે…!

ખબર નહિ ક્યાંથી લખાઈ ગયું..! આડું અવળું…. દિમાગ વગરની વાતો… ફાલતું વિચારો.. છતાંય લખાઈ ગયું.. એટલે હથોડો સર્જાઈ ગયો છે તો હવે ઉત્પાદક બની જીંકવો જ પડે ને….

બાકી ગમે તે કહો… સર્જક (ભગવાન) સામે ઉત્પાદક (માણસ) વામણો જ રહેવાનો…!!!

~એજ ને…!

એક પ્રશ્ન :


તું અને હું હવે બાકીની સફરમાં
હમસફર બની જઈએ…તો કેવું ?

કાંટાળા રસ્તે ચાલતા
તું…… મ્હારા છાલાં ને
તારી પાંપણ થી પખાળે
અને હું….. તારા કાંટા
મારા “સ્વ” હસ્તે નીકળું !
તો કેવું ?

સાગરે કરેલી ભીની…. એવી રેત પર
બંને નામ લખીએ અને સાગર ખુદ
આવી “સ્વ” હસ્તે એ નામો ને એકાકાર કરી દે
તો કેવું ?

અંધારી રાત્રે એક મેક ના સહારે થાકેલા આપણે
નિરાશ બેસીએ ને પવન પીઠડી પર સવાર..
રાતરાણીની ખુશ્બુ લઇ અજાણ્યો આગીઓ
“સ્વ” હસ્તે રોશની બિછાવે તો કેવું ?

આમ તો “સખી” તારા હોવાને…
હરેક ક્ષણે મહેસુસ કરું…
મનમાં, અંતરમાં, દિલમાં, હદયમાં,
ઘરમાં, અંગનમાં, ગુલમાં, ગુલશનમાં,
પંખીના કલરવમાં, ઉંચે રહેલા નીલા ગગનમાં,
ખુશીમાં, દુઃખમાં, હાસ્યમાં, રુદનમાં,
ઊંઘમાં, સભાનતામાં, શ્વાસમાં, ઉચ્છવાસમાં,
એવી કોઈ ક્ષણ, કોઈ ઘડી,
કોઈ પળ, કોઈ જગ્યા, કોઈ વસ્તુ, કોઈ વાસ્તુ,

તારા વિના મ્હે આજ સુધી અનુભવી હો
એવું યાદ નથી ! છતાય કહું છું…
હવે બાકીની સફરમાં તું તારા “સ્વ” હસ્તે
મ્હારી હમસફર બની જાય…
તો કેવું ?

 

~એજ તન્મય..!

ગીતા…. કૃષ્ણની કે વેદ વ્યાસની ?

ઉગતા સુરજની પૂજા અહી, “સામાન્ય” વાત ગણાય છે ;
લખનાર જો કૃષ્ણ ન હો, “ગીતા” પણ પુસ્તક ગણાય  છે !

થોડા સમય પહેલા આ પોસ્ટ મૂકી હતી.. અને પછી એક ભાઈ વડે કોમેન્ટ આવી. ‘ગીતા કૃષ્ણ વડે નહિ મહર્ષિ વ્યાસ વડે લખાઈ છે !’ એ ભાઈ ને કૈંક કહેવું તો હતું પણ વ્યસ્તતા કે આળસ ગણો… આજે બ્લોગ ફફોસતા એ ઉક્તિ વાંચી અને યાદ આવ્યું !

ટેકનીકલી જોઈએ તો હા, વાત સાચી છે (કે હશે) મને એ સંદર્ભે વધુ જ્ઞાન ન હોય નેચરલી (જૈન છું એટલે !) પણ જવાબ કેટલો સાચો ? KBC માં ૩૦૦૦ (સીઝન ૩ માં પૂછાયો હતો !!! ) કે પછી પાંચવી પાસ સે તેઝ માં થોડી ઘણી રકમ જીતવી શકે એવો… “સાચો” જવાબ !

ફરીથી આવીએ મુદ્દા પર. પહેલા તો “ગીતા” શું છે ? એ ભાઈએ મને જણાવ્યું હતું કે  :

“”””ભાઈ “એ જ તન્મય” ગીતા કૃષ્ણ એ નથી લખી.. ગીતા નો ઉપદેશ શ્રી કૃષ્ણ એ કુરુક્ષેત્ર ના યુદ્ધ દરમ્યાન અર્જુન ને આપેલો હતો.. જેને શ્રી વેદ વ્યાસ એ મહાભારત માં ગીતોપદેશ તરીકે આવરેલો છે.. અને ફક્ત એ જ ભાગ ને અલગ થી “શ્રીમદ ભગવદ ગીતા” કહેવા માં આવે છે..

ગીતોપદેશ શ્રી કૃષ્ણ એ મહાભારત ના ઘણા સમય પહેલા પણ કહેલો હતો.. પરંતુ તેનું પુનરાવર્તન કુરુક્ષેત્ર દરમ્યાન ફરીથી અર્જુન ને તેની જવાબદારી અને કર્મ થી વાકેફ કરાવવા માટે કરવા માં આવ્યું.. આ આખી ઘટના ને દસ્તાવેજી સ્વરૂપ શ્રી વેદ વ્યાસ એ મહાભારત ની રચના દરમ્યાન આપ્યું … ફ્યી”””

અહી એક વાત ઉડીને આખે વળગે છે ? વ્યાસે જ જો “ગીતા” લખેલી હોય તો પછી કૃષ્ણ કરતા એમની પૂજા વધુ થવી જોઈએ ને ?!  પણ નથી થતી…!

સિમ્પલ રીતે કહું તો …. “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ… નામ હૈ ….” કે પછી “મેરે પાસ માં હૈ” “બડે બડે મુલ્કો મેં એસી છોટી છોટી બાતે………” જેવા સુપર હિટ ડાયલોગ્સ કંઠસ્થ હશે જ ને ! અને કોણે બોલ્યા છે, કોણે જીવ્યા છે (ભલે ને પરદા પર જ ) એ તો કેમ કરી ભૂલાય !

પણ કોણે લખ્યા છે એ કેટલાને યાદ હશે.? ડીટ્ટો ફિલ્મી જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ કે પછી પ્રોફેશનલ એક્ટિંગ શીખવતી સંસ્થાઓ વડે કહેવાય તો ખબર પડે ! (આજ કાલ ફિલ્મોના ટાઇટલ્સ કયો ભોજિયો ભા જોવે છે !! ) એટલેજ કહું છું “ગીતા” કૃષ્ણની જ ગણાય !!!! વેદ વ્યાસની નહિ…..

વધુ એક સંદર્ભ…… ઓકે ચાલો માની લઈએ “ગીતા” માત્ર એક ઉપદેશ છે ! તો એનો આટલો સ્વીકાર કેમ ? એના વિષે આટલો અહોભાવ કેમ ? દેશનું આખું ન્યાય તંત્ર માને છે ‘ગીતા પર હાથ રાખી માણસ ખોટું નહિ બોલે’ (અહી વાસ્તવિકતાને નજર અંદાજ કરવાની છે હોં….! :પી ) માત્ર ઉપદેશ ગાથા જ હોય તો અત્યારે કે ભૂતકાળ માં ચોરે ને ચૌટે ઉપદેશ આપનારા સાચા ખોટા સંતો મહંતો થયા જ છે !! તો પછી ..??

યેસ, કારણ કે “ગીતા” માત્ર ઉપદેશ નથી….. વાસ્તવિકતા માં જીવાઈ ચુકેલી જિંદગીનો સાર છે ! જે જીવી ગયો છે.. અફકોર્સ આપણાં સૌનો વાહલો કૃષ્ણ !

સગા મામા કંસ ને મારનાર જ કહી શકે : જા, સામે જે છે એ સગા નહિ શત્રુ છે ! ગોપીઓના ચીર હરનાર જ દ્રોપદીના ચીર પૂરી શકે ! જરાસંઘ ને હરનાર જ જાંઘ પર વાર કરાવી શકે ! સુદર્શન ચલાવનાર જ રથનું પૈડું ઊંચકી શકે.!

ઇન શોર્ટ… “ગીતા” વાસ્તવિકતા થી વધુ નજીક છે એટલે એ સહજ રીતે સ્વીકારાઈ છે ! એટલે જ કહું છું…. “ગીતા” કૃષ્ણ ની જ ગણાય !!!

સોરી વધુ લખાઈ ગયું હોય તો !

એક વાત રહી ગઈ…..

“યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ।। ”

લખાયું તો ગીતા માં છે ને ?!!! અને જો એ વેદ વ્યાસે જ્જ્જ લખ્યું હોય તો….. કૃષ્ણે અવતરણ ના અનીયારા સવાલો કેમ પુછાય છે ????!!!!! જવાબ હોય તો આપજો… બાકી……………

~એજ ને…!!!

“””””””તું”””””””

“ખોવાયું” છે !

એક “હું” નામે પાત્ર !
હતું…. સાથે જે
હાથ માં હાથ પરોવી !
જન્મ જન્માન્તર
થી……. સાથે ને સાથે…..
પાસે ને પાસે…. જોડે ને જોડે…..

શોધી દઈશ ? શું ?
હા, કહુંને ખોવાયું તો
છે જ ને, વળી ! ક્યાંથી ?

હા યાદ આવ્યું ! એક સ્થળ હતું
નામે…….. “””””””તું”””””””

~એજ તન્મય !