About અક્ષરયોગ

શાંત હદયમાં કોણે કાંકરીચાળો કર્યો? ઉઠ્યા વમળ, મને રમતિયાળ કર્યો! ~એ જ તન્મય..!

કથા કડી : ૪૩

shabdavkash શબ્દાવકાશ

11329580_495373160617407_2004710872_n

સચિને થોડી ક્ષણો બાદ ટુકમાં જવાબ વાળ્યો,”હા, હું તૈયાર છું.” યશપાલે સચિનના મનમાં ચાલતા વિચારો પારખ્યા..અને એક માર્મિક સ્મિત વેર્યું!
“ઓકે ધેન. મારી કેટલીક શરતો તારે અમલમાં મુકવી પડશે” યશપાલ એકાદ સેકન્ડ પહેલા બ્લીંક થયેલ મેસેજને જોઈ બોલ્યા.
“મીન્સ?” સચિન હજી ય અવઢવમાં હતો એ નક્કી નોહ્તો કરી શકતો કે મારે હવે એક્ચ્યુલી કરવાનું છે શું!
“મીન્સ કે એમ બેટા. તારા પૂજ્ય પિતાશ્રી દેસાઈ સાહેબ તને દિગ્વિજય આગળ રાવણ ચીતરી ચુક્યા છે. એટલે મારું કહ્યું કરીશ તો સુખી રહીશ, જીવતો રહીશ અને આઝાદ રહીશ” યશપાલ ત્રાંસી આંખે સચિન અને રોહન બંનેને જોઈ રહ્યા. બંને એ એક બીજાની સામે જોયું. એક પુત્રને બચાવવા બીજાની ભેટ? હશે. ઇટ્સ કોલ લાઈફ. “સ્યોર.” એ બોલવા સિવાય સચિન પાસે બીજું કોઈ ઓપ્શન નોહ્તું. “ઓકે ધેન. રોહન અને રાહુલ તમે પોત પોતાની હોટલ જાઓ. સપના તું સ્નેહાને લઇ ઘરે જા. સચિન તું મારી સાથે આવ. તારી લાઈફ પણ સેટ કરવી પડશેને!” યશપાલના ઓર્ડર્સ હાલ પૂરતા પણ…

View original post 3,802 more words

સિમ્બોલ

આંગણના ક્યારાએ
ખીલતા પહેલા
પોતાના અસ્તિત્વ વિષે
કેટલાય કલ્પનો
વિચારી લીધા.
કારણ કે
એણે
જીન્સ પેન્ટ પહેરેલી
એક છોકરીને
ઈ-મેલમાં ગુલાબ
સેન્ડ કરતા જોઈ લીધી.

~એજ તન્મય..!

એક સુંદર મજાની વાતચીત શ્રી તન્વય શાહ સાથે / A short interview with Tanvay Shah

thanks a lot team pratilipi 🙂

Pratilipi

એક સુંદર મજાની વાતચીત શ્રી તન્વય શાહ સાથે / A short interview with Tanvay Shah

નામ : તન્વય શાહ

જન્મ :૨૭/૦૨/૧૯૭૮

મૂળ વતન : સિપોર, વિસનગર પાસે. ક્યારેય જવાયું નથી . જન્મભૂમિ અને કર્મભૂમિ બંને અમદાવાદ.

ડિગ્રી ઉપાધી : પતિ સિવાય કોઈ ઉપાધી ગમી જ નથી . ( સોરી કિડિંગ ) અન્ડર ગ્રેજ્યુએટ.

સ્વભાવ : વેલ મારાથી મારી બુરાઈ કઈ રીતે થઇ શકે ? મારા મિત્રો કહે છે કે હું બહુ ગુસ્સા વાળો, શોર્ટ ટેમ્પર્ડ, સ્વાર્થી છું. જોકે હું એમને બધું મોઢા મોઢ કહી દઉં છું. એટલે એવું લાગતું હશે. પછી એ જ મિત્રો આવી ને કહે છે, ના તનીયા તું સાચો હતો ! જોકે હવે લાંબી બબાલમાં નથી પડતો . હું મારા વિષે કહું તો……….. યેસ, પ્રેક્ટીકલ ખરો.
1) પડદાનો કલર કોની પસંદનો છે ઘરમાં ? 

કલર ! ઘરમાં ટાંગેલા પડદાનો કલર અમારા બિલ્ડરે નક્કી કરાવ્યો એમ કહી શકાય. અમને ગમતા કલરના બારી બારણા રંગી આપવા માટે એમને…

View original post 736 more words

દિવાળી….

ભારત દેશ. ગમ્મે તેટલી અવગડ હોવા છતાં; એ તો માનવું જ પડે કે, આ દેશ ઉત્સવ પ્રિય તો ખરો. દરેક ઋતુ માટે ખાસ ઉત્સવ મૂકી ગયા છે વડવાઓ આપણા માટે. કુદરતના બદલાવના “પગરવ”ને સહર્ષ વધાવી લેવાનો પ્રસંગ એટલે જ તો આ ઉત્સવ. જેને પ્રતાપે વ્યક્તિને પણ પોતાની ફાસ્ટ લાઈફમાંથી થોડો સમય પોરો ખાવાને મળી રહે છે. ટૂંકમાં કહું તો, ઉત્સવો વ્યક્તિ માટેના પેટ્રોલ પમ્પ ( હા ભાઈ, ગેસ સ્ટેશન બસ..!) જ ગણાય! ભાગી દોડીને થાકી ચૂકેલાં જીવતરમાં દુનિયા નામના ઉબડખાબડ, અન-ઇવન રસ્તા સામે જીંક જીલી શકે એ માટે નવા જોમ નવા ઉત્સાહના રીફીલીંગ, સર્વીસીંગ, કરવાના સ્ટેશન એટલે જ આ ઉત્સવો…!

ને એમાંય દિવાળી એટલે તો ગેસ સ્ટેશન વિથ શોપિંગ મોલ….! પાંચ દિવસનો ફૂલ ટૂ ફટાક ઉત્સવ. અવનવા તદ્દન નવા વસ્ત્રોના મલ્ટીપ્લેકસ. કામધંધા અને ભણવામાંથી મરજી હોય એ દુકાનમાં ઘુસવા જેવી આઝાદી. બાળકો કે ઇવન મોટેરાં સાથે પણ મસ્તીથી રમી શકાય એવા ક્રિકેટ, બેડમિન્ટન, લખોટી, આંધળો પાટો, સ્ટોપ-બોચી જેવી રમતોનો ગેમિંગ ઝોન. એકની એક ઘરેડ પ્રકારની રસોઈમાંથી છુટકારો અને ખાસ દિવાળીએ બનતા ફાફડા, મઠીયા કે ઘૂઘરા મગસના મેક, સબ-વે કે કોફી-ડેના સટાકા. ટોટલ રીફ્રેશમેન્ટ. ૧૦૦% એન્ટરટેઇનિંગ. હા ભાઈ, આ બધા પાછળ શોપિંગ મોલમાં થાય છે એથીય વધુ ખર્ચો થાય! બટ ઇટ્સ એક્સેપ્ટેબલ અગેઇનસ્ટ ધ ફન.

વાસ્તવમાં તો, એ એક રાત એક સામાન્ય રાતથી વિશેષ કશું નથી. હા, અમાસની હોવાથી થોડીક વધુ અંધકારમય ઉદાસીન લાગે પણ એય સ્વાભાવિક જ. ને, આમ જુઓ તો.. એ રાત વડે એક આખું વર્ષ હતું ન હતું થઇ જાય છે, ભૂતકાળ બની જાય છે.. દિવાળી…. આસો વદ અમાસની રાત. ભગવાન રામના વનવાસ પૂર્ણ થયાની રાત. પ્રભુ મહાવીરના નિર્વાણની રાત. જૂના ને સ્થાને નવા વર્ષના બદલાવની રાત. જૂની યાદો, પ્રસંગો, દુઃખો, ગમગીનીઓ, વેદનાઓ, ખુશીઓ, આનંદો_સઘળાને ભૂતકાળની દાબડીમાં પેક કરવાની રાત. નવા ઉમંગો, નવી જિંદગી, નવા સમીકરણો, નવા વિચારો, નવી શક્યતાઓ સઘળી નવીનતાના “પગરવ”ને બિરદાવવાની રાત.

આટલાં બધા વખાણ પછી’ય જો ખોડખાંપણ ના કાઢીએ તો, અમારું નામ બદલવું પડે યારો..! શું છે કે, સ્વભાવ પેલ્લેથી જ આવો કચકચિયો. ચોરીમાં બેઠેલા ત્યારે’ય પંડિતને કીધેલું, “મંત્રો હાચા ભણજો.. પેહલી વારનું છે, કઈ ઊંચુંનીચું થ્યુ ને ફરી ઘોડે ચડવાનું આયુ તો, એ બીજા લગ્નનો આખો ખર્ચો તારી જોડે વશુલ કરે!” પંડિત તો રાભાની જેમ મારું ડાચું જોવા માંડ્યો. ત્યારે ભાવી ભાર્યાએ વાત વાળી લેતાં કીધું, “ટેન્શન ના લો પંડિતજી, આ ‘ડફોળ’ મને છોડશે નહિ!” (હાસ્તો છે….ક ત્યારના એ મને ઓળખી ગયેલાં..!! ) ને પંડીતના હાવભાવ પરથી લાગેલું બેનબા ખોટી જગ્યાએ ભરાયા લાગે છે! આજે’ય બાપડો દર રક્ષાબંધને ફોન કરે છે…!!

સોરી..સોરી..ગાડી જરા આડે પાટે આઈ મીન ટૂ સે, રીવર્સમાં જતી રહી. હા, તો ક્યાં હતા?? ઓહ્હ યસ.. દિવાળીની ખોડખાંપણ…. સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી એક જ વાત…..સાલ્લું દિવાળીમાં ઘેર રોટલી કેમ નથી બનતી??! કહે છે, એ પાંચ દિવસ (પહેલાં તો છેક લાભ પાંચમ સુધી, આ સજા રહેતી, કાળક્રમે સાબરમતી મધ્યસ્થ જેલમાં આઈ પી એસ સંજીવ ભટ્ટની મ્ધ્યસ્થીથી સુધારણા આવ્યા એમ, આમારી આ સજામાં સગવડ નામના તત્વે મધ્યસ્થી કરી અને સજા ભાઈ બીજ સુધી સીમિત થઇ…. હાશ) તવી ન મૂકાય..! સાલ્લું, પાંચ દિવસ બહારનું ખાઈએ તો બાકીનો આખો મહિનો આર્થિક અને શારીરિક બંને રીતે રોટલીને લાયક ન રહીએ.

વડલાઓએ આ નિયમ બનાવેલો જેની પાછળ મારી સમજણ એવું કહે છે કે, એ સાફસફાઈ, ઘરકામ, સાજ-સજાવટ, નાસ્તા-પાણીની વ્યવસ્થા પછી ‘ગૃહલક્ષ્મી’ થાકી જાય એટલે, એમને પણ એટલીસ્ટ રૂટીન રસોઈમાંથી તો આરામ મળવો જોઈએ. ડોહા હાચા હતા અને હશે ય ખરા… પણ, એમાં તો આપણાં જેવાં હલવાઈ જાય ને?! એ બાપડાઓને થોડી ખબર મોડર્ન ગૃહલક્ષ્મી શું શું કારસ્તાન કરશે?!! દરેકે દરેક કામમાં હારોહાર હાથ (કેટલેક ઠેકાણે તો પગ પણ ) દેવડાઈએ તો’ય…….. આજથી રોટલી બંધ…! એકવાર તો મેં કીધેલુ ય ખરું, “હું બનાવું તો?!” જવાબ આવ્યો તો, “પછી આજથી કાયમ માટે તમે જ બનાવજો…!” હારીને હથિયાર હેઠા મેલવા સિવાય કોઈ ચારો હતો?! બોલો રણછોડરાયજી, કેમ બોલતાં નથી?! (શું બોલશે, રોટલી તો એમણે ય નહિ જ ખાધી હોય!) એકલી લાપસી ને તુવેરો વડે કેટલાં દા’ડા ખેંચવાના?!

આ તો થઇ ગમ્મતની વાત. એક તરફ તો લાગે કે, આવા જડસુ નિયમોનું હાલની પરિસ્થિતિમાં કોઈ સ્થાન નથી, બદલી નાખવા જોઈએ. (કેટલાક ઘરે સુધારણા શરૂ થઇ ચૂકી છે. પાંચમાંથી બે કે ત્રણ દિવસ) ને, બીજી તરફ લાગે..નાં યાર, આવું કૈંક તો હોવું જોઈએ..રૂટીનથી અલગ. કહે છે ને, વસ્તુની એહમિયત એની દૂરતાથી વધુ સમજાય છે. છો’ પાંચ દિવસ વાહલી રોટલી ન મળતી, પછી તો કાયમ થાળીની શોભા બનવાની છે જ. ચલ બકા, એટલો વિરહ તો સહી લેવાશે.

હાલો રજા લઉં….. મને તો ભૂખ લાગી આટલું લખતાં લખતાં. એ..ય ને ધીમી ધારે મહેમાનના પગરવ સંભળાયાં… અલ્યા જાઓ, આખો દિ’ અહીં જ કાઢશો કે શું?! આવકારો એમને… જો, જો, એમને કે’તાં નહિ પાછા…. આવું ગાંડુ ઘેલું વાંચવામાં ટાઈમ બગડ્યો. બિચારા મને વાંચતા હશે તોય નહિ વાંચે!

~એજ તન્મય..!

ક્યારે’ય વિચાર્યું છે કે તમારા બેડરૂમમાં તમારા સિવાય બીજા કેટલા જણા રહે છે?!

સહી બાત હૈ..!

Dr.Hansal Bhachech's Blog

‘આ અમારો માસ્ટર બેડરૂમ’ પોતાના નવા ઘરને બતાવતા મિત્રએ મને કહ્યું.

આખા ઘરમાં સૌથી સુંદર રીતે સજાવેલો રૂમ મેં રસપૂર્વક જોતા જોતા એને પૂછ્યું ‘આ રૂમમાં કેટલા જણા રહેવાના?!’

સ્વાભાવિક રીતે જ એ મારા આ વિચિત્ર લગતા પ્રશ્નથી થોડો ડઘાઈ ગયો હશે અને એટલે જ ધીરેથી ગંભીરતાપૂર્વક કહ્યું ‘અમે બે જ, બાળકોના અલગ બેડરૂમ તો તને બતાવ્યા અને ગેસ્ટ રૂમ પણ…’

મેં અડધેથી જ અટકાવતા પૂછ્યું ‘રીઅલી?!’

‘શું મજાક કરે છે યાર?’ તેની વાતમાં અણગમાએ થોડું ડોકું કાઢ્યું.

હવે ગંભીર થવાનો મારો વારો હતો, ‘ના દોસ્ત મજાક નથી કરતો, બધા જ લોકો માસ્ટર બેડરૂમ યુગલ માટે જ બનાવતા હોય છે પરંતુ કમનસીબે એમાં રહેતા ઘણા લોકો હોય છે. આ લોકો દેખાતા નથી પરંતુ તમારા ફોન, ટેબ્લેટ, લેપટોપ, ટીવી વગેરેમાં રહેતા હોય છે અને પથારીમાં પણ તમારી સાથે હોય છે. બેડરૂમના બેડ પર પણ એક લેપટોપ ઉપર હોય તો બીજું સ્માર્ટ ફોન ઉપર, દેખીતા બે જણા અને સદેહે ના દેખાય પણ…

View original post 639 more words

આવરણ…

10620820_460272340781284_1766980147940263967_n

વર્ષો પહેલા કન્નડ સાહિત્યકાર શ્રી એસ એલ ભૈરપ્પા દ્વારા લિખિત સિદ્ધા દીક્ષિત વડે ગુજરાતી અનુવાદિત, વિક્રમી વેચાણ ધરાવતી અને આજ કાલ મારા ફેસબુક વર્તુળમાં ચર્ચામાં છે એવી એક બુક વિષે થોડીક વાતો. એક અઠવાડિયામાં ચારેક પોસ્ટ અને ગઈ કાલે ફેસબુક મિત્ર સાથે થયેલી ઈનબોક્સ ચર્ચા પછી લખવાનું ઈંજન મળ્યું.  આમ તો આ પ્રકારનું લખવું મારો પહેલો પ્રયત્ન છે. એથી પર્સનલી લખાઈ જાય તો દર ગુજર કરશો.

ગુજરાત બહારના લેખકો શું લખે છે એ જાણવાનો ચસ્કો મને આ પુસ્તક સુધી દોરી લાવ્યો છે. મુખપૃષ્ઠ પરથી ફિલોસોફીકલ વાત હશે એમ માની મેં એ ખરીદેલી. (મને ફિલોસોફી ગમતી નથી એ અલગ વાત થઇ!) મેં એ બુક વાંચી છે. આ કોઈ વિવેચન નથી. પ્રશસ્તિ પણ નથી. મને એમાં જે લાગ્યું લગભગ સાચું દેખાયું એ આપવાનો પ્રયાસ માત્ર છે. (એક જ બેઠકે વાંચી ગયો એવી રસાળ લાગી, રાતની ઊંઘ બગાડીને પણ વાંચવા લાયક લાગી… વગેરે વગેરે સ્કીપ કરું છું 😀 )

ખાસ વાત એ છે કે આ પુસ્તકમાં કોઈ નાવીન્ય નથી. જસ્ટ આંખ ખોલો અને દ્રશ્યમાન થાય એવી કેટલીક હકીકતો વાર્તાના ભાગ રૂપે વણી લેવાઈ છે. જે કહેવા માટે લેખકને ધન્યવાદ આપવા ઘટે. નવલકથાનું પાત્ર ખુદ નવલકથા લખે! – એવું કલ્પન અનોખું લાગ્યું. પાત્રો કદાચ કાલ્પનિક હશે, હોવા જ જોઈએ. પણ એમના વડે બોલાયેલ સંવાદો, ઘટનાઓ, વગેરે વિષે લેખકે ખુદ સંદર્ભો ટાંક્યા છે. ૧૨૭ ગ્રંથોના નામ સરનામાં પ્રાપ્યસ્થાન સાથે. એ કાલ્પનિક ન હોઈ શકે. પોતાને કહેવી છે એ વાત સિવાય કલ્પનાના ઘોડા સાતમા આકાશે વિસ્તારી શકાય એવી ત્રણેક જગ્યાએ લેખકે માત્ર એક દોઢ પેરાગ્રાફમાં પતાવી દીધું છે. અનોખી લેખન શૈલી સિવાય અંતની ઉપેક્ષા કરી માત્ર મહત્વની વાત લખવી, પુસ્તકને મુઠી ઉંચેરુ સ્થાન આપે છે. બુકને અંતે ઘણા છેડા ખુલ્લા રહી જાય છે. લેખક કદાચ ધારત તો આખી સીરીઝ આપી શકે એમ હતા! (આજે લખાય છે એમ વાર્તાને ૧૭ માં પગલે એવો વળાંક આપાય જેથી આગળના ૧૬ ભાગ ન વાંચ્યા હોય તો ચાલત!) મને નથી લાગતું આ વિષયક લેખકે આગળ કઈ લખ્યું હોય.

કોઈ પણ ઉંમરે શીખવું શક્ય છે. સાવ ગામડામાં રહેતા જ્યાં ટેલીફોનની સુવિધા નથી એવા એક ચુસ્ત હિંદુ પાત્રને પુત્રી ઇસ્લામમાં પરણ્યા પછી ઇતિહાસમાં રસ જાગે છે અને કન્નડ સિવાય કશું બોલ્યા કે સમજ્યા નથી એ માણસ અલ્ટ્રા હાયર લેવલની ઈંગ્લીશ પુસ્તકો વસાવે છે. વાંચે છે. એ વિષે નોંધો (જે પણ સમ્પૂર્ણ ઇંગ્લીશમાં) ટપકાવે છે. ૫૪ વર્ષે નાયિકા શીખે છે.

તોડી-મરોડી, મારી-મચડીને ખુદને સેક્યુલર સાબિત કરવાની સરકારી ખેવના પર ધીન્ચકના પ્રહાર કર્યા છે. ઈતિહાસ જેમ છે એમ જ આલેખાવો જોઈએ. ઈતિહાસકારે સરકારી પુરસ્કારો કે વેતન-બહુમાનની આશાએ છેડછાડ કરવી એ ગુન્હો છે. તમે જેમ છે એમ જ મુકો. પબ્લીકને નક્કી કરવા દો શું સારું શું ખોટું. હુલ્લડ કે અશાંતિની આશંકાએ ખોટું પીરસવું એ તો ડાયાબિટીસના દર્દીને ખાંડને સ્થાને સેકરીન વળી ચ્હા અપાયા જેવું થાય! સેક્યુલર વિષે ભાષણો ઠોકતા અને ખુદના અનુભવો વડે દાખલો બેસાડવા સેક્યુલારિઝમ જીવતા નવલકથાના જ એક પાત્રને શું તકલીફો પડી એ પણ બખૂબી દર્શાવાયું છે. હિંદુ પ્રોફેસર કેથલિક પત્ની લાવ્યા. જેમના બે બાળકો. દીકરો પંજાબી કુડી લાવ્યો. પુત્રીને હિંદુ કે ક્રિશ્ચયન પરિવાર ન  મળતા સાઉદી રહેતા ચુસ્ત ઇસ્લામિક પાત્ર સાથે નિકાહ (શરિયત મુજબ છોકરીને ઇસ્લામ સ્વીકાર કરાવીને) કરાવવા પડ્યા! એ સિવાય સાચું જાણતી હિન્દુમાંથી કન્વર્ટ થયેલી મુસ્લિમ નાયિકાને થતા સરકારી અનુભવો સરસ રીતે આલેખાયા છે. (ચર્ચા સભાઓમાં બોલવા દેવામાં પાબંધીથી લઇ આ વિષયક નવલકથા લખવા માટે પોલીસ કેસ અને એના પર્સનલ ગ્રન્થ ભંડારને સીલ કરવા સુધીની કનડગત)

આગળ ઓરીજીનલ જે વાત છે, જે તથ્યો છે, જે વાસ્તવિકતા છે, જે વિવાદ છે એ બધા વિષે તમારે પુસ્તક વાંચવું રહ્યું 😛

ઇતિહાસનું ઈશ્વર જેવું છે. તમે માનશો કે નહી એથી એના અસ્થીત્વને કોઈ કરતા કોઈ ફર્ક પડવાનો નથી. વાસ્તવિકતા સ્વીકારી અને એમાંથી ધડો લેવાવો જોઈએ. હિટલરના નાઝીવાદ સામે જર્મન પ્રજાનો સ્વીકાર અને માફી આપણી સમક્ષ છે જ. પ્રજાને થવું જોઈએ કે આ નિર્ણયો અમારા વડવાઓના હતા. જેની અમને પારાવાર તકલીફ છે. પૂર્વજોએ કરેલી ભૂલો અમે વખોડીએ છીએ. (જોકે પૂર્વજો કહેવા એ મિથ્યા છે. હાલમાં હિન્દુસ્તાનમાં વસનારમાંથી સાચા મુસ્લિમો કેટલા?! ) અને આ ભૂલો અમે રીપીટ નહિ કરીએ. એ હિમ્મત, એ નૈતિકતા બતાવવાની વાત છે. બાકી…………………

અંડ ફોડી નાખ્યો છે એથી કઈ પુરુષત્વ થોડી નાશ પામ્યું છે?

~એજ તન્વય..!
ફોટો કર્ટસી : ફેસબુક મિત્ર નિધિ શીયલ

સપનું…!

આજે….
સવારથી નક્કી કર્યા મુજબ બે હદ કામ કર્યું.
જાત માટે આરામનો દિવસ હતો.
સામે દેશ માટે સમર્પણનો ભાવ હતો.
સૌથી પહેલા ધ્વજવંદન કરી
રાષ્ટ્રની ધન્ય ધરાને ધન્યવાદ આપ્યા.
બે-ચાર રાષ્ટ્ર ગીત ગઈ પોરસ ચડાવ્યું.
એકાદ-બે શેરી મહોલ્લામાં સાફ સફાઈ કરી.
બપોરે ફૂટપાથ પર જઈ જમવાનું વહેંચ્યું-પીરસ્યું.
વરસાદમાં થયેલી ગંદકી પર ગેમેક્ષીન પાવડર છાંટ્યો.
ટ્રાફિકના નિયમો શીખવ્યા.
સારા નાગરિકની પરિભાષા સમજાવી.
સાંજે પ્લાસ્ટીકના વેર વિખેર નાના નાના ઝંડાઓ
વીણી વીણીને યોગ્ય નિકાલ કર્યો.
આ બધું કર્યા પછી…. દિવસ ભરનો રઝળપાટ….
દેશ માટે કૈંક કર્યાના અહેસાસ વાળી….
ચીર શાંતિમય નિંદ્રામાં પોઢેલો હતો અને….
અચાનક એક બુમ આવી…………
‘ચાલો ઉઠો હવે… બપોરના ૧૨ થયા.
૧૫ મી ઓગસ્ટ આમ પથારીમાં કાઢવાની છે કે શું?!’

~એજ તન્વય..!